47th Get to Gather – Ahmedabad Gandhinagar Districts – 25.02.2019

25 Feb

47th Get to Gather – Ahmedabad Gandhinagar Districts – 25.02.2019

પુલવામામાં થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલ વીર જવાનો ને   શ્રન્ધાજલી આપવાનો એક કાર્યક્રમ બીએસએનએલ એન્ડ ડીઓટી પેન્શરનર્સ (ઇન્ડિયા) અમદાવાદ દ્વારા તારીખ ૨૫.૦૨.૨૦૧૯ ના રોજ અમદાવાદ મેડિકલ એસોસીએસન હોલ, આશ્રમ રોડ ખાતે આયોજવામાં આવેલ છે.

આ સાથે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને ત્રીજી પી.આર.સી. ની ભલામણો પ્રમાણે બીએનએનએલ  ના સેવાનિવૃત્ત કર્મચારીઓને પેન્શન વધારાની માંગણી કરતુ એક મેમોરેન્ડમ દરેક સભ્યશ્રી દ્વારા કરવામાં આવશે જેમાં આપ સર્વેની સહી કરવાની રહેશે. તેની કોપી કાર્યક્રમ દરમ્યાન આપવામાં આવશે.

 આ સાથે તેમાં વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોન્ચ કરવામાં આવેલ સંપન્ન યોજના ની માહિતી શ્રી એસ, વાય. જોગ, જોઈન્ટ સીસીએ દ્વારા આપવામાં આવશે. 

આ સાથે નારાયણા મલ્ટી સ્પેશિયાલિટી ના એક્પર્ટ ડોક્ટરોનો વિવિધ વિષયો પાર એક સેમિનાર પણ યોજવામાં આવેલ છે.

કાર્યક્ર્મની સમાપ્તિ પહેલાં ત્રીજી પી.આર.સી. અને તેના અમલીકરણ વિષે વિસ્તૃત માહિતી શ્રી ડી. ડી. મિસ્ત્રી જનરલ સેક્રેટરી  આપશે.

કાર્યક્રમ દરમ્યાન “બીએનએનએલ પેન્શનર્સ  ૨૦૧૯ ડિરેક્ટરી – પાંચમી અવ્રતી માટેની આપણી જાહેરાત સ્વીકારવામાં આવશે અને નવા થનાર સભ્યોના મેમ્બરશિપ ફોર્મ પણ સ્વીકારવામાં આવશે.

કાર્યક્રમની અને સાંજના ભૉજનની વ્યવસ્થા પણ કરવાં આવેલ છે.

આપણી પ્રણાલિકા પ્રમાણે દરેક સભ્યશ્રી એ રૂપિયા ૫૦/-  કાર્યક્ર્મમાં સામેલ થવા માટે આપવાના રસેશે તો સર્વે સભ્ય શ્રીઓને સહકારવા આપવા નમ્ર વિનંતી.

હર્ષદ ભાટિયા

ઓફિસ સેક્રેટરી

૨૫.૦૨.૨૦૧૯ 

CLICK FOR MEMORANDUM COPY: 24.02.2019 Memorandum for Revision of Pay 3rd P.R.C. DT